સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Sunday, October 11, 2009

આરાધનાધામ (હાલાર તીર્થ)

હાલારતીર્થ તરીકે ઓળખાતુ આરાધના ધામ એ જૈન સંપ્રદાયનુ એક મોટુ તીર્થધામ છે. સૌરાષ્ટ્રના યાત્રાધામોની યાદીમાં તે એક મોખરાનુ સ્થાન ધરાવે છે. આરાધના ધામ જામનગરથી 46 કિમી. દૂર આવેલ છે. જામનગરથી બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા જઈ શકાય છે. જામનગર ખાતે એરપોર્ટ અને રેલ્વે વ્યવસ્થા હોઈ દેશ-વિદેશના અનેક યાત્રિકો આ તીર્થધામનો લાભ લે છે.
આ તીર્થધામ એક વિરાટ સંકુલમાં આવેલુ છે. જેમાં એક સુંદરતમ મંદિર- મ્યુઝિયમ- આરાધના ભવન-આવાસ વ્યવસ્થા- ભોજનશાળા વિ. આવેલ છે. ભવ્યતમ કલાત્મક કોતરણી વાળા મંદિરમાં મૂળ નાયક શ્રી મહાવીરસ્વામી બિરાજે છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથસ્વામી ની મનમોહક પ્રતિમા પણ અહીં જ પ્રસ્થાપિત છે. આ વિશાળ મંદિરમાં એક સાથે ઘણા લોકો પૂજન અર્ચન કરી શકે તેની ખાસ વ્યવસ્થા છે.




મંદિર ની પાસે જ એક 60 ફૂટ ઉંચા માનસ્થંભજી આવેલા છે જેના પર નવકાર મંત્રનુ સુંદરતમ પ્રસ્થાપન કરાયુ છે. પાસેજ એક વિશાળ ફલકમાં મ્યુઝિયમ આવેલુ છે. મહદ અંશે આ મ્યુઝિયમ અક્ષરધામ-ગાંધીનગર ની યાદ અપાવે છે. મ્યુઝિયમમાં બેનમુન ચિત્રો અને પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી મૂર્તિમંત અનેક જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે. દરેકની સાથેની વાર્તા નાના-મોટેરા સહુની માટે ઉપદેશ પૂરો પાડે છે. માત્ર ધાર્મિક જ નહી પણ વ્યસન મુક્તિ –સ્વસ્થજીવન માટેના વિવિધ નિયમો પર પણ અહીં વ્યાપક પ્રકાશ પાડેલ છે. સિક્કો નાખીને ચાલે તેવા વિરાટ ઈલેક્ટ્રોમીકેનીકલ સ્ટેચ્યુ પ્રદર્શની છે જે અદભૂત છે. આમાં સિક્કો નાખી ભગવાનની આરતી ઉતારતા પાંચ સર્પને જોઈ શકાય છે ગ્રામ્યજીવન ની ઝાંખી લઈ શકાય છે અને અન્ય અનેક કથાનકો અનુભવી શકાય છે. નાના ભૂલકાને લઈ જાઓ તો ચોક્કસ ઘણા સિક્કા લઈ જજો..! શાંતિથી પ્રદર્શની સંપૂર્ણ જોતા અંદાજે 2 કલાક થઈ શકે છે.
આ સંકુલમાં જ સુંદરતમ ભોજનશાળાની વ્યવસ્થા છે જ્યાં ખૂબ પ્રેમપૂર્વક જૈન ભોજન ઉપલબ્ધ છે.
આવાસ વ્યવસ્થાનુ આરામદાયક આયોજન પણ સંકુલમાં છે. રાત્રિ રોકાણ પણ કરી શકાય છે.
આરાધના ધામ આસપાસમાં દ્વારકા 100 કિમી. દૂર , રીલાયન્સ ટાઉનશીપ- મોલ 20 કિમી દૂર આવેલ છે. જે આપની ટૂરમાં ઉમેરી શકો છો.

2 comments:

  1. RESP.SHRI SHAH SAHEB,
    VERY NICE.
    MARKAND DAVE.

    ReplyDelete
  2. Namaste, I recall visiting this fine tirth during my visit to Jamnagar a few years ago. There is a nice museum that is very educational.
    Nitin Talsania
    Bsking Ridge, NJ
    USA

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...